થરાદ-સાંચોર હાઇવે પર રવિવારે બપોરે ટ્રક ચાલકે કારને ટક્કર મારતાં રાપર તાલુકાના એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બીજાને સારવાર અર્થ ખસેડાયો હતો.કારને ટક્કર મારીને ટ્રક ચાલક નાસી છૂટયો હતો.
ભારતમાલા રોડની કામગીરીના કારણે બંને બાજુ રસ્તો સાંકડો બનતા અકસ્માતના બનાવો વધવા પામ્યા છે. ડાયવર્ઝન પણ વ્યવસ્થિત નહિ અપાતાં ઊંચા રોડના કારણે સામેથી આવતાં વાહનો પણ જોઈ શકાતા નથી.
જેની વચ્ચે રવિવારે પોણા ત્રણ વાગ્યાના સુમારે સાંચોર તરફથી આવી રહેલી એક કારને ટક્કર મારીને ટ્રક ચાલક નાસી છૂટયો હતો.આથી ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ પેથાભાઈ ખોટ (ઉં.વ.૪૪,રહે.પલાસવા,રાપર-કચ્છ) અને એહમદભાઈ રાઠોડને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થ થરાદની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા
જ્યાં સારવાર દરમિયાન રમેશભાઇનું મૃત્યું નીપજયું હતું. ભારતમાલા રોડના કોન્ટ્રાક્ટરની કામગીરીને લઇને વાહનચાલકોમાં ભારે રોષ સાથે આક્રોશની લાગણી જોવા મળી રહી છે.