લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે રણુંજથી ચાણસ્મા તથા બેચરાજી ની રેલ્વે લાઇન ને બ્રોડ ગેજ માં રૂપાંતર કરવાનુ કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
પરંતુ ચૂંટણી પતી ગઈ અને કામ કરવાની વાત અધ્ધર ચડાવી દેવામાં આવી હતી. હાલની પરિસ્થિતિ જોતા રેલ્વે સ્ટેશન ની ઓફીસમાં કોઈ સાધન પણ નથી.
ઓફીસના બારણાં તૂટી ગયા છે બાવળોના ઝાડ ઉગી ગયા છે-આ ટ્રેન ચાલુ હોયતો પ્રજા ફક્ત નજીવા ભાડે આ મોઘવારીના સમયમાં રાહત અનુભવતી હોય અને અમદાવાદ પોહોંચી શકતી હોત.
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
બ્રોડ ગેજ નું કામ થતું નથી તથા આ વિસ્તારની પ્રજા સાથે અન્યાય થઇ રહ્યો હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શું આ વિસ્તારના ધારાસભ્ય તથા આ વિસ્તારના સંસદ સભ્ય આ રણુંજ થી ચાણસ્મા તથા બેચરાજી સુધી ની બ્રોડ ગેજ નું કામ પૂર્ણ કરાવશે ખરા? એવું આ વિસ્તારની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.