શહેરના માર્ગો પર અવાર નવાર આખલાઓના જામતાં યુદ્ધ…
શહેરીજનોને રખડતા ઢોરોની સમસ્યા માંથી મુક્તિ અપાવવા પાલિકા તંત્ર નક્કર કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી…
એક તરફ પાલિકાના સત્તાધીશો શહેરના વિકાસ ની ગુલબાંગો ફુકી રહી છે ત્યારે શહેરજનો ની સુવિધા મામલે વાસ્તવિકતા કંઈક જુદી જોવાં મળી રહી છે.
પાલિકા તંત્ર શહેરીજનો ની સમસ્યાના નિરાકરણ માટે સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ રખડતા ઢોરો એ માજા મુકી છે ગતરોજ શહેરના કેનાલ રોડ પર પદમનાભ મંદિર તરફ જવાના માર્ગ બે હરાયા બનેલાં આખલાઓ સિગડે ભરાતાં અફડા તફડી મચી જવા પામી હતી.
જાહેર માગૅ આખલા વચ્ચે ની મારામારી નાં કારણે માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો આ વિસ્તારના કેટલાક યુવાનો દ્વારા આખલાઓ ને લડતા છુટાં પાડવા માટે પાણી ના મારો ચલાવી ધોકા લાકડી ની મદદથી મહામુસીબતે છુટા પાડી ભગાડવામાં આવતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.
પાલિકા સતાધિશો દ્વારા શહેરીજનોની મહત્વ એવી રખડતાં ઢોરો ની સમસ્યાનો ઉકેલ લાવવા તાત્કાલિક ધોરણે કોઈ ની પણ શેહ શરમ અને મતો નુ રાજકારણ ભૂલી ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી