• પાટણ ખાતે આગામી ૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ રાણકી વાવ ઉત્સવ ઉજવાશે.
  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સૂર અને સંગીતના દ્વિદિવસીય મહોત્સવનો આજથી થશે પ્રારંભ.
  • સુપ્રસિદ્ધ ગાયકશ્રી હરીહરન, શ્રી જીગ્નેશભાઈ કવિરાજ તથા સુશ્રી ગીતાબેન રબારી સહિતના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
  • શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે તેના ગૌરવગાન માટે આગામી ડીસેમ્બર મહિનામાં રાણકી વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. પાટણ ખાતે કનસડા દરવાજા નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે યોજાનારા બે દિવસીય મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે.
  • ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નબદ્ધ છે. સરકારશ્રી દ્વારા મહેસાણા જીલ્લા ખાતે આયોજીત તાના-રીરી મહોત્સવની જેમ પાટણ ખાતે વિશ્વપ્રસિદ્ધ રાણકી વાવની મહિમા ઉજાગર કરવા રાણીની વાવ ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આગામી ૧૬ ડીસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે. તથા તા.૧૭ ડીસેમ્બરના રોજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા મહોત્સવના બીજા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવશે. જેમાં શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની વિશેષ ઉપસ્થિતીમાં સચિવશ્રીઓ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
  • ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજીત સૂર અને સંગીતના આ દ્વિદિવસીય મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો ઉપસ્થિત રહેશે. આગામી તા.૧૬ ડીસેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં સુપ્રસિદ્ધ ગાયકશ્રી હરીહરન, શ્રી જીગ્નેશ કવિરાજ તથા સુશ્રી ગીતાબેન રબારી અને તા.૧૭ ડીસેમ્બરના રોજ શાસ્ત્રીય સંગીતના સાધક સુશ્રી સાધના સરગમ તથા ગુજરાતી લોકકલાના જાણીતા કલાકારશ્રી ભીખુદાન ગઢવી વિવિધ કાર્યક્રમો રજૂ કરશે.
  • રાણકી વાવ ઉત્સવની ઉજવણીના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી એસ.જી.બક્ષી, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી બટુકભાઈ ત્રિવેદી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, પોલીસ વિભાગ તથા સંલગ્ન વિભાગના અન્ય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી પંકજભાઈ ભટ્ટ તથા અકાદમીના સચિવશ્રી જે.એમ.ભટ્ટ દ્વારા કાર્યક્રમની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. જે અંગે લાઈટીંગ, ડેકોરેશન, પાર્કીંગ, સ્વચ્છતા સહિતની આનુષંગીક વ્યવસ્થાઓનું માઈક્રો પ્લાનિંગ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024