Mehsana – ઊંઝા (Unjha) તાલુકા વિસ્તારનાં સરપંચો અને તલાટીઆે અરજીઆે અને આરટીઆઇ (RTI) એકટ વ્યકિતઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. ઊંઝા તાલુકાના કુલ ૩પ જેટલા ગામોના સરપંચ એસોસિએશન સૂણોક ગામના પ્રહલાદ પટેલ અને તેમના પુત્ર સુનિલ પટેલ થી તોબા પોકારી ગયા છે.

સરપંચો અને તલાટીઆેનો આક્ષેપ છે કે બંને પિતા -પુત્ર પોતાનો સ્વાર્થ સાધવા અને રૂપિયા પડાવવા જ અરજીઆે કરે છે અને આરટીઆઇ કરે છે અને અત્યાર સુધીમાં ર૭પ થી વધુ અરજીઆે આ પિતા-પુત્ર કરી ચુકયા છે.

આથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સરપંચો અને તલાટીઆેની સાથે આજે ઊંઝા તાલુકા સરપંચ એસોસિએશને મહેસાણા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરટીઆઈની કરેલી તમામ અરજીઆે ખારીજ કરવાની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024