Atal Bihari Vajpayee ની પુણ્યતિથી પર PM એ આપી શ્રદ્ધાંજલિ

પોસ્ટ કેવી લાગી?

Atal Bihari Vajpayee

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) 2018મા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમા લાંબી બિમારી બાદ તેમનુ 93 વર્ષની વયે નિધન થયુ હતુ. આજ રોજ તેમની બીજી પુણ્યતિથી છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમા લખ્યુ હતુ કે, દેશની પ્રગતિની દિશામા અટલ બિહારી વાજપેયીનુ અમુલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. 

અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની પુણ્યતિથી પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘ સદૈવ સ્થળ ‘ પર તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહએ વાજપેયીજીને યાદ કરતા ટ્વિટમા લખ્યુ કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમા કેન્દ્રની સરકાર અટલજીના વિચારોને કેન્દ્રમા રાખીને સુશાસન તેમજ ગરીબ કલ્યાણ જેવા માર્ગ પર અગ્રેસર છે અને ભારતને વિશ્વમા એક મહાશક્તિ બનાવવા માટે કટિબદ્ધ છે. સ્વ. અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથી પર તેમને શત-શત વંદન. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures