‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકવાની આગાહીને પગલે વડોદરા નજીક આવેલા જરોદ સ્થિત એનડીઆરએફની 6 બટાલિયનની 11 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ જવા રવાના થઇ ગઇ છે. આ 6 બટાલિયનના કમાન્ડન્ટ આર.એસ.જુનના માર્ગદર્શન હેઠળ તમામ ટીમોને રવાના થઇ છે, તેમ ડેપ્યુટી કમાન્ડન્ટ અને પીઆરઓ રણવીરસિંહ મિશ્રાએ જણાવ્યું હતું.

‘વાયુ’ વાવાઝોડાને પગલે ભાવનગરના દરિયા કાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ તંત્ર નજર રાખી રહ્યું છે. આ માટે NDRF ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે, તેમજ અલંગના શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના ઝોખમને પગલે મજુરોને વ્યવસ્થિતઅને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે. રજા પર ગયેલા કલેકટરની રજા પણ રદ કરવામાં આવી છે, તેઓ ફરજ પર હાજર થઈ ગયા છે. જિલ્લામાં ડીઝાસ્ટર રૂમ કાર્યકર કરાયો છે તેમજ દરિયાકાંઠાના સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

ફાઇલ તસવીર

વાવાઝોડાની અસરને પગલે એનડીઆરએફની બે ટીમને જામનગર લાવવામાં આવી છે. મંગળવારે બપોર સુધી એક ટીમ જોડીયા ગામ તો બીજી ટીમ જામનગર પહોંચશે.

જરોદ સ્થિત એનડીઆરએફના જવાનોની 11 ટીમો બોટ સહિતના અત્યાધુનિક સાધનો સાથે રવાના કરવામાં આવી છે. જેમાં નલિયા, કંડલા, જામનગર, દ્વારકા પોરબંદર, સોમનાથ, અમરેલી, મોરબી, રાજકોટ, જુનાગઢ અને જોડિયા ટીમો આજે પહોંચી જશે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના પુના અને ભંટીડાથી પણ 5 ટીમો પણ ગુજરાત આવી છે. આ ઉપરાંત અજમેરથી પણ એક ટીમ આવી છે, જે વડોદરા વડોદરા ખાતે સ્ટેન્ડ બાય રહેશે. અને જરૂર પડ્યે તેને રેસ્ક્યુ માટે મોકલવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024