141st Rath Yatra of Jagannathji Patan

141st Rath Yatra of Jagannathji Patan : ભારત ભરની ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની પાટણની ઐતિહાસિક નગરી માંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાની શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અને આ 141 મી રથયાત્રાને સફળ બનાવવા પાટણના અઢારે વર્ણના લોકો તન મન અને ધનથી સહકાર આપી રહ્યા છે.

ત્યારે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા ની બહોળી પ્રસિદ્ધિ માટે પાટણના પત્રકાર અને અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું પોતાની નિ:સ્વાથૅ ભાવના સાથે કવરેજ કરી પ્રસિધ્ધિ અપાવવામાં સહભાગી બનતા પત્રકાર યશપાલ સ્વામી ને મીડિયા ઈન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવતા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના મિત્રો એ ખુશી ની લાગણી વ્યક્ત કરી તેઓને સોપવામાં આવેલી જવાબદારીની શુભેચ્છા વ્યકત કરી છે.

ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્રારા 141 મી રથયાત્રા મા મિડિયા ઈન્ચાર્જની જવાબદારી સોપવા બદલ પત્રકાર યશપાલ સ્વામીએ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો સહ હૃદયથી આભાર વ્યક્ત કરી ભગવાન જગન્નાથજી સન્મુખ પ્રાર્થના કરી હતી કે આ સત્કાર્યની સેવા કરવાનો મીડિયા ના માધ્યમ થકી જે લાભ પ્રાપ્ત થયો છે તેમાં તેઓ મન વચન અને કર્મથી સફળ રહે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024