• ગુજરાતમાંથી સી.આર.પાટીલને તક અપાઇ
  • મધ્ય ગુજરાતમાંથી આ વખતે કોઇને સ્થાન અપાયુ નથી

પીએમ મોદીના નેતૃત્વમાં નવી કેબિનેટમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારામન અને સુબ્રમણ્યમ જયશંકરે પણ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. આ બધા જ મંત્રીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં મોદી ૨.૦માં પણ કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા હતા. વાદળી જેકેટ સાથે સફેદ કુર્તા અને ચુડિદારમાં સજ્જ ૭૩ વર્ષીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાનના નામે શપથ લીધા હતા. 

મોદીમંત્રીમંડળમાં દર્શના જરદોશને સ્થાન મળ્યુ હતું જયારે આ વખતે નીમુબહેન બાંભણિયાને તક મળી છે. ટૂંકમાં ગુજરાતમાંથી એક મહિલા સાંસદે મંત્રીપદ જાળવી રાખ્યુ છે. ઉત્તર ગુજરાતમાંથી અમિત શાહને, સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા-નીમુબેન બાંભણિયાને સ્થાન અપાયુ છે. દક્ષિણ ગુજરાતમાંથી સી.આર.પાટીલને તક અપાઇ છે. મધ્ય ગુજરાતમાંથી આ વખતે કોઇને સ્થાન અપાયુ નથી.

મોદી સરકાર 3.0માં ગુજરાતનું પ્રતિનિધીત્વ ઘટયુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, ગત વખતની સરખામણીમાં મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મહત્વની વાત એછેકે,  રાજ્યસભાના સભ્ય એસ.જયશંકર  અને જે.પી.નડ્ડાને મંત્રીપદે સ્થાન મળતાં  મોદી મંત્રીમંડળમાં મૂળ ગુજરાતી સાંસદોની સંખ્યા ઘટી છે. જોકે, મંત્રીમંડળમાં ગુજરાતમાંથી બે નવા ચહેરાનો તક અપાઇ છે જયારે બે પૂર્વ મંત્રીઓના પત્તા કપાયાં છે. ગત વખતે મોદી મંત્રીમંડળમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, પરષોત્તમ રુપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અન ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાત સાતેક સાંસદોને મંત્રીપદ મળ્યુ હતું.

ગત વખતે મોદી મંત્રીમંડળમાં કોણ કોણ હતું?

અમીત શાહ, એસ.જયશંકર, મનસુખ માડવિયા, દેવુસિહ ચૌહાણ, પરષોતમ રુપાલા, ડો.મહેન્દ્ર મુંજપરા, દર્શના જરદોશ

મોદી ૩-૦ સરકારમાં કોને મંત્રીપદે તક મળી?

અમીત શાહ, એસ.જયશંકર, જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયા

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024