- અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
- અમદાવાદ હૉસ્પિટલમાંથી મોબાઇલની ચોરી થતાં જ મોબાઇલ માલિકે તેના નંબર પર ફોન કર્યો હતો. જોકે, ચોરી કરનાર શખ્સેજણાવ્યું હતુ કે, બે હજાર રૂપિયા આપો તો મોબાઇલ પરત કરી દઇશ.
- સાબરમતીમાં આવેલી પુખરાજ હૉસ્પિટલમાં સર્વન્ટ તરીકે નોકરી કરતા ચિરાગ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, 5મી ફેબ્રુઆરીએ સવારના પોણા છ વાગ્યાની આસપાસ તેમનો ફોન 12 નંબરની ઓપીડી પાસે ચાર્જીગમાં મૂકીને તેઓ હૉસ્પિટલની બહાર આવેલા મેડિકલ સ્ટોરમાં ગયા હતાં. આ દરમિયાન કોઇ દર્દીના સગાએ જાહેરાત કરી હતી કે તેમના બે મોબાઇલની ચોરી થયેલી છે. જેથી ફરિયાદી ચિરાગ પરમાર પણ તેમનો ફોન ચાર્જીગમાં છે કે નહીં તે જોવા માટે ગયા હતાં.તપાસ કરતા તેમનો ફોન પણ ગાયબ હતો. જેથી જે દર્દીના સગાનો ફોન ચોરી થયો હતો તેમણે તેના મોબાઇલ નંબર પર ફોન લગાવ્યો હતો. ફોન કરતા જ સામેવાળાએ જણાવ્યું હતું કે, તમે મને બે હજાર રૂપિયા આપો તો હું ત્રણેય મોબાઇલ તમને પાછા આપી દઇશ. આટલું કહ્યા બાદ આરોપીએ ત્રણેય ફોન બંધ કરી દીધા હતાં.
- મોબાઇલ ચોરીની જાણ થતાં જ હૉસ્પિટલનો અન્ય સ્ટાફ અને સુરક્ષા સુપરવાઇઝર પણ ત્યાં આવી પહોચ્યા હતાં. જે બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News