Somnath temple

Somnath temple

સોમનાથ મંદિર (Somnath temple) ને શિખરોને સુવર્ણ કળશથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમનાથ મંદિર ફરી એકવાર પોતાનાં સુવર્ણ ઇતિહાસને પ્રાપ્ત કરી રહ્યું છે.

ત્યારે અત્યાર સુધી સોનાથી મઢેલા 66 જેટલા સુવર્ણ કળશ મંદિરના શિખર પર લગાવી દેવાયા છે. શિખર પર રહેતા તમામ પેટા શિખરને સુવર્ણકળશથી મઢવામાં આવશે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

આ પણ જુઓ : કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત ,એકનું મોત

સોમનાથ ટ્રસ્ટના જીએમે જણાવ્યું કે, વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરમાં આશરે 1500 જેટલા કળશો છે. જેને શિવભક્તોના સહયોગથી સોનાથી મઢવા માટે સુવર્ણ કળશ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કોઇ આ કળશ આપવા ઇચ્છતું હોય તો ભાવિક 1.51 લાખ, 1.21 લાખ અને 1.11 લાખનું અનુદાન આપી શકે છે. આ અભિયાનને સારો સહયોગ મળ્યો અને 530 જેટલા ભક્તોએ આ દાન આપ્યું હતું. જેના પગલે એક એજન્સીને કળશ તૈયાર કરવાની કામગીરી સોંપાઇ હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024