Patan

કોવિડ વિજય રથ દ્વારા પાટણ (Patan) જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા અભિયાન ચાલી રહ્યું છે. પ્રદર્શન તેમજ કલાના માધ્યમથી જાગૃતતા સંદેશ અને યોજનાઓ વિશે જાણકારી અપાઇ રહી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજનલ આઉટરીચ બ્યુરો દ્વારા 7 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં શરૂ થયેલ કોવિડ-19 જાગૃતતા અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા રાજ્યમાં વર્તમાનમાં 5 કોવિડ વિજય રથ ભ્રમણ કરી રહ્યા છે. રથ પર સવાર કલાકારો કોવિડ માર્ગદર્શિકાના યોગ્ય પાલન સાથે તેમજ સામાજિક અંતર જાળવી પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે. આ 5 રથ દૂર સુદુરના ગામોમાં ફરી રહ્યા છે.

આ પણ જુઓ : સંસદના સત્રના પહેલા જ દિવસે 30 સાંસદ કોરોના સંક્રમિત

આ અભિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ સુપેરે ચાલી રહ્યું હતું. બનાસકાંઠાના પાલનપુર,ડીસા, વડગામ,શિહોરી,થરા શહેર બાદ દિયોદર,કાંકરેજ તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતતા સાથે વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ કોવિડ વિજયરથનો પ્રવેશ પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકામાં થયો છે. આજ રોજ રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો મા કોરોના મહામારી તેમજ સરકારશ્રીની આત્મનિર્ભર ભારત , ગરીબ કલ્યાણ યોજના , નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવશે, રાધનપુર તાલુકા પંચાયતથી તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા અગ્રણી મહાનુભાવોની હાજરીમાં લીલીઝંડી આપી વિજય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પણ જુઓ : Petrol Diesel prices : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો

રાધનપુર શહેરના વિસ્તારો જેવાકે નગરપાલિકા, એ.પી.એમ.સી,રેફરલ હોસ્પિટલ, બસસ્ટેન્ડ વગેરે જગ્યાએ હોમિયોપેથીક દવા તેમજ માસ્ક વિતરણ સાથે જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ વિજય રથ ની સફળયાત્રાના સકારાત્મક પ્રતિભાવો પણ લોકોએ આપ્યા હતા.

રથ સાથે રહેલા કલાકારો લોકો સમજી શકે તેવી સરળ અને હળવી શૈલીમાં કલાના માધ્યમથી વિવિધ સંદેશ ફેલાવી રહ્યાં છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે. પ્રતિદિન 60 કિલોમીટરના વિસ્તારમાં આ રથ ફરી રહ્યો છે અને કોવિડ-19 જાગરૂકતા અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024