Sardar sarovar
ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર (Sardar sarovar) છલોછલ ભરાઈ ગયો. હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.99 મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138 મીટરે પહોંચવાની તૈયારી છે.
જો કે, આ સિઝન માં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે. તથા વિશાળ સરદાર સરોવર (Sardar sarovar) છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે.
સરદાર સરોવરમાં હાલ પાણીની આવક 55213 ક્યુસેક છે. આ સીઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચ્યો છે ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.
અત્યારે સરદાર સરોવર માં પાણીનો જીવંત જથ્થો 5935 મિલીયન ક્યુબીક મીટર થયો છે. એટલે કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.
રાજ્યના ખેડૂતો અને સામાન્ય પ્રજા માટે ખુશીના સમાચાર એટલા માટે છે કારણ કે સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા હવે મા રેવાના નીરથી રાજ્યને ત્રણ વર્ષ ચાલે એટલું પાણી ભરાઈ ગયું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.