Hanumanji
હનુમાનજી (Hanumanji) ની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવાયા છે. તેને કરવાથી તેમના ભક્તની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે. શ્રી રામ ચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. તેથી દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ મુજબ આ વસ્તુઓ મંગળવારે હનુમાનજી (Hanumanji) ને ચઢાવવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવવાથી તેમની કૃપા શીધ્ર પ્રાપ્ત થઈ શકે છે.

હનુમાનજી (Hanumanji) ને દર મંગળવારે પાંચ મૌસમી ફળ ચઢાવવા જોઈએ. તથા પૂજામાં ફળ ચઢાવવાની વિશેષ પરંપરા છે.

હનુમાનજીને મીઠાઈ પણ અર્પિત કરવી જોઈએ. તથા મીઠાઈ અર્પિત કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે.

સિંદૂર અને ચમેલીના તેલથી જ હનુમાનજીનો શૃંગાર કરવામાં આવે છે.

કોઈપણ પૂજન કર્મમાં નારિયળનુ વિશેષ સ્થાન છે. આ જ કારણે હનુમાનજીને પણ નારિયળ વિશેષ રૂપે ચઢાવવુ જોઈએ.

હનુમાનજીને મીઠુ બનારસી પાન પણ ચઢાવાય છે. પાનમાં લવિંગ પણ લગાવો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.