Vadodara

સોમવારે મોડી રાતે વડોદરાનાં (Vadodara) પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં બની રહેલી 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટના 9 વ્યક્તિઓ દટાયાની જાણ મળી રહી છે. જો કે, ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દ્વારા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ દૂર્ઘટનામાં રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયેલા લોકોમાંથી ગંભીર ઇજા પહોંચતા 3 લોકોનાં મોત નીપજ્યાં છે. તો આ સાથે આસપાસનાં સ્થાનિકોનાં અનેક વાહનોને પણ નુકસાન થયું છેે. સોમવારે મોડીરાતે આ નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. બની રહેલી બિલ્ડીંગની નીચે કેટલાક શ્રમજીવીઓ સૂઇ રહ્યાં હતાં.

બિલ્ડિંગ ધરાશાયીથતા તેમાં એક બાળક સહિત 9 લોકોનાં દબાયાની આશંકા છે. વહેલી સવારે ધડાકાભેર બિલ્ડીંગ ધરાશાયી થતા આસપાસનાં લોકો પણ મોટા પ્રમાણમાં ભેગા થઇ ગયા હતા. ફાયરબ્રિગેડ કાટમાળ હટાવીને લોકોને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

ફાયર બ્રિગેડનાં લાશ્કરોએ મોડી રાતે તરત જ કોઇપણ વિલંબ કર્યા વિના LED લાઇટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. તો આ અંગે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

આજે કોર્પોરેશન વિભાગ પણ આ  ઇમારત ધરાશાયી થવા અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. જો કે, આ બની રહેલી ઇમારતની આસપાસ રહેતા સ્થાનિકોમાં આ દૂર્ઘટના બાદ રોષ જોવા મળ્યો હતો. તેમના જણાવ્યાં પ્રમાણે, આ બાઁધકામ ગેરકાયદેસર કરવામાં આવ્યું હતું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024