પાટણ શહેર અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા એક તરફ વહીવટી તંત્ર દવારા અનેક વિધ પ્રયાશોની સાથે સાથે ધાર્મિક ઉત્સવો અને મેળાવડા નહીં યોજવાની પાબંધી લાદી છે

સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાવવા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રવિવારના રોજ પાટણ તાલુકાના ધારણોજ ગામે જહુમાતાજીના મંદિરે મંદિર ટ્રસ્ટની મંજુરી વગર રાજુભાઈ શાહ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું અને તેમાં સોશિયલ ડીસ્ટન્સ સહીત માસ્ક વગર કાર્યક્રમ કરાયા હોવાનું સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ થયો હતો.

જેને અનુલક્ષાીને આજરોજ ધારણોજ ગામના સરપંચ સહીત આગેવાનો દવારા પ્રેશ કોન્ફરન્સ યોજી રાજુભાઈ શાહને બદનામ કરવાનું કેટલાક લોકોનું કાવતરું હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેમને જણાવેલ દર્શનાર્થે આવતા લોકોને મંદિર ટ્રસ્ટની મંજુરી લેવાની ન હોય. રાજુભાઈ અને પાટણ જીલ્લા અધિક્ષક માત્ર માતાજીના દર્શનાર્થે આવ્યા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં કોઈપણ પ્રકારનો ધાર્મિક ઉત્સવ કે મેળાવડો થયો ના હોવાની પણ ગામના આગેવાનોએ સ્પષ્ટતા કરી હતી. અને રાજુભાઈ શાહ દવારા ગામની કુંવારીકાઓ અને બાળકો માટે હંમેશા અવિરત દાનની સાથે તેઓના વિકાસના કાર્યો કરાતા હોવાનું જણાવ્યું હતું.

તો બીજી બાજુ ધારણોજ ગામના સરપંચે મંદિરના ટ્રસ્ટીઓ બહાર રહેતાં હોવાથી કોરોના મહામારીમાં પણ એક પણ દિવસ મંદિર બંધ રાખવામાં આવ્યું ના હોવાનું જણાવી બેસતા વર્ષે આશરે બે લાખ લોકો દર્શનાર્થે આવ્યા હોવાના પણ આક્ષોપો કરાયા હતા.

વધુમાં તેઓએ ધારણોજ ગામમાં ઉદાર હાથે દાન કરનાર રાજુભાઈ શાહને બદનામ કરવાનું સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ મેસેજને ખોટો ગણાવ્યો હતો. અને રાજુભાઈ શાહ અને પોલીસ અધિક્ષાક માત્ર જહુમાતાજીના પાંચ મીનીટ માટે દર્શન કરી તેઓ મંદિર પરિસર માંથી નિકળી ગયા હોવાનું પણ ગામના સરપંચે જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે રાજુભાઈ શાહ દવારા વૈશ્વીક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધારણોજ ગામમાં ૪૦૦ જેટલા માસ્ક નું વિતરણ કરી કોરોનાનું સંક્રમણ અટકાવવાના પણ સુંદર પ્રયાશો હાથ ધરાયા હતા.

ધાયણોજ ગામના સરપંચ ભાયચંદજી ઠાકોરે ગામમાં પ્રેસ કોંફરન્સનું આયોજન કર્યું હતું.જેમાં તેમણે જણાવ્યું હતું.કે રવિવાર ના દિવસે કોઈપણ જાહેર કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું નહોતું. જહુમાતાના પરમ ભક્ત રાજુભાઇ એન્ટોપવાળા દરવર્ષે માતાજીમાં દર્શને આવે છે.અને ગામના મંદિર સહિત ગામના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહેલું છે.

પરંતુ કેટલાક વિઘ્નસંતોષી લોકો દ્વારા તેમને ખરાબ ચીતરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. રાજુભાઇ શાહ હંમેશા ગામના વિકાસ માટે અને ગામમાં વિધવા મહિલાઓ,ગરીબ બાળકો અને બહેન દીકરીઓને યથાશક્તિ દાન આપે છે. જેને લઈને કેટલા લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં આ પ્રકારનું ષડયંત્ર કર્યું છે.

રવિવારના દિવસે તેઓ માતાજીના દર્શને આવ્યા હતા. અને જેમાં જિલ્લા પોલીસવડા અને તાલુકા પી.આઇ એ માતાજીના દર્શન જ કરી નીકળી ગયા હતા. મંદિર પરિસર ખાતે કોઈપણ પ્રકારનો જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નહોતું. તેવું ગામના સરપંચે જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024