PM Modi
આજે પીએમ મોદી (PM Modi) એ વેકિસનને લઈને બહુ મોટુ નિવેદન આપ્યુ છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વેક્સિન ક્યારે આવશે તે બાબત વૈજ્ઞાનિકોના હાથમાં છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વેક્સિન જ્યારે પણ બજારમાં આવે તો કોરોનાનો સામનો કરી રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સિન માટે પ્રાથમિકતા અપાવી જોઈએ. કેન્દ્ર અને રાજ્યોએ ભેગા મળીને કામ કરવુ પડશે. સાથે સાથે તેમણે ખાતરી આપી હતી કે, વેક્સિન ઉપલબ્ધ કરાવવાની કામગીરી પારદર્શી હશે.
આ પણ જુઓ : BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ
તેમણે કહ્યુ તુ કે, કોરોનાની લડાઈમાં જો મુખ્યમંત્રીઓ કોઈ સૂચન આપવા માંગતા હોય તો આપી શકે છે. દેશમાં ટેસ્ટિંગ નેટવર્ક કામ કરી રહ્યુ છે. હોસ્પિટલોને ઓક્સજિન સપ્લાય આપવાનુ કામ ચાલી રહ્યુ છે.આપણી પાસે હવે આંકડા છે ત્યારે પૂરી તૈયારી કરવી પડશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.