રાજય સરકાર દ્વારા તમામ વિધાર્થીઓ કે જે કોલેજના વર્ષમાં પ્રવેશ મેળવે છે તે તમામ વિધાર્થીઓને ટેબ્લેટ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું અને તેના માટે રાજય સરકારની નમો ટેબ્લેટ યોજનાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત વિધાર્થીઓને ટેબ્લેટ પ્રાપ્ત થવા જોઈએ અને થયા પણ છે તેનાથી છાત્ર યુવા સંઘષ સમિતિ વાકેફ છે પરંતુ વર્ષ ર૦૧૯-ર૦માં જે વિધાર્થીઓ પ્રથમ વર્ષમાં હતા અને જેમને એક હજાર રુપિયા ડિપોઝીટ ભરી હતી તેવા અનેક વિધાર્થીઓને દોઢ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં

ટેબ્લેટ મળ્યા નથી અને આ અંગે અગાઉ તા.૧૯-૩-ર૦ર૧ના રોજ પણ રજૂઆત કરી હતી પણ તે અંગે યુનિવર્સીટીએ કોઈ હકારાત્મક નિર્ણય લીધો નથી. ઘણા વિધાર્થીઓનું એમ પણ કહેવું છેકે અમને આ અંગે કોલેજ પ્રશાસનને પુછવામાં આવતા તેમનું કહેવું છે કે અમને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી તેના કારણે અમે આપને ટેબ્લેટ આપી શકતા નથી.

જો ટેબ્લેટ પ્રાપ્ત નથી થયા અને વિધાર્થીઓ ટેબ્લેટ મેળવવા પ્રાપ્ત નથી તો છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં હજુ સુધી વિધાર્થીઓને તેમના રુપિયા પરત કરવામાં આવ્યા નથી. વિધાર્થીઓના આશરે એક કરોડ રુપિયા સરકાર પાસે છે તેનું વ્યાજ પણ સરકાર પાસે છે તો તે તમામ વળતર વિધાર્થીઓને વ્યાજ સહિત પરત કરવામાં આવે અથવા તો તેમને નમો ટેબ્લેટ યોજના હેઠળ ટેબ્લેટ આપવામાં આવે અને આ અંગે વહેલામાં વહેલી તકે યુનિવર્સીટી દ્વારા કોઈ ચોકકસ નિર્ણય વિધાર્થી સમક્ષા મૂકવામાં આવે

અને આ માટે છાત્ર યુવા સંઘષ સમિતિ પાટણ જિલ્લા ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો બે દિવસની અંદર યુનિવર્સીટી દ્વારા કોઈ નિર્ણય વિધાર્થીઓને આપવામાં નહી આવે તો સીવાયએસએસ ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024