પાટણ શહેરમાં આનંદ સરોવરથી વત્રાસર કેનાલમાં વરસાદી પાણી અવરોધાતા હોવાની જાણ પાલિકાના શાસક પક્ષાના નેતાને થતાં તેઓ દ્વારા ફિલ્ટર પ્લાન્ટથી આનંદ સરોવર સુધીની હિટાચી મશીન દ્વારા સાફ સફાઈ હાથ ધરી કેનાલનું લેવલીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે વિલાજ પાર્ટી પ્લોટ પાસેની કેનાલની હિટાચી મશીન દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવતાં અહીં બનાવેલ સંરક્ષાણ દિવલ અગમ્ય કારણોસર કેનાલમાં ધરાશાયી થવા પામી હતી ત્યારે મજૂરોનો સદનસીબે બચાવ થવા પામ્યો હતો. ત્યારે આ પ્રોટેકશન દિવાલ ધરાશાયી થતાં રોડ સાઈડનો કેટલોક ભાગ તૂટી જવા પામ્યો હતો અને આ જાહેરમાર્ગ હોવાથી અહીંથી દિન પ્રતિદિન હજારો લોકોની આવન-જાવન પણ રહેતી હોય છે

ત્યારે ચોમાસા દરમ્યાન અહીંથી પસાર થતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને કોઈ અકસ્માત ન સર્જાયતે માટેની પૂર્વ તૈયારીના ભાગરુપે શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલ અને દિક્ષાીત પટેલની આગેવાની હેઠળ તૂટી ગયેલી સંરક્ષાણ દિવાલની જગ્યાએ લોખંડના પતરા મારી કેનાલમાં અકસ્માત ન સર્જાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે બાંધકામના મજૂરો દ્વારા લોખંડના પતરાની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવતાં સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પ્રસંગે શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તૂટી ગયેલી પ્રોટેકશન દિવાલને લઈ કોઈ અકસ્માત ન સર્જાય તેની તકેદારીના ભાગરુપે લોખંડના પતરા મારી કેનાલ ઉપર પ્રોટેકશન પુરુ પાડવામાં આવ્યું હોવાનું જણાવી આગામી સમયમાં વહેલી તકે તૂટી ગયેલી પ્રોટેકશન દિવાલનું કામ પણ ઝડપથી શરુ કરવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024