પાટણ શહેર નાં હાઈવે વિસ્તારનાં નિચાણવાળા સોસાયટી વિસ્તારોમાં અવાર નવાર ભૂગર્ભ ગટર લાઇન ચોક અપ બનવાની સાથે માર્ગો પર રેલાતા દુષિત પાણી નાં પ્રશ્નનું નિરાકરણ લાવવા પાટણ નગરપાલિકા દ્વારા હાઈવે પર નાં સિદ્ઘપુર ચાર રસ્તા ખાતે નવીન ભૂગર્ભ શિફટીગ લાઈનનું કામકાજ રૂ.પપ લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યું છે ત્યારે સોમવાર ની સાંજે આ સિફટીગ લાઈન નું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ અરિવદભાઇ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ તેમજ વિસ્તારના કોપોરેટરો સહિત કાર્યકરતાંઆેની ઉપિસ્થતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પાટણ શહેર નાં સિધ્ધપુર ચાર રસ્તા નજીક ભૂગભ લાઈન સિફટીગ ના કામકાજ ની શરૂઆત કરવામાં આવતાં આ નવીન શિફટીગ લાઇન ની કામગીરી પૂર્ણ થયેથી શહેરના હાઈવે થી બહારના વિસ્તારોમાં ભૂગર્ભ નું જે પાણી ભરાઈ રહેવાનો અને નિચાણવાળા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાનો વારંવાર ઉભો થતો પ્રશ્ન હલ થશે જેને લઇને હાઈવે વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા ભોગવી રહેલા રહિશોને આ સમસ્યા માંથી કાયમી છુટકારો મળનાર હોય જેને લઇને પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂગર્ભ સિફટીગ લાઈન ની કામગીરી ને વિસ્તારના લોકો એ સરાહનીય લેખાવી હતી.
આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે હાઈવે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર રેલાતા હોઈ પાલિકા દવારા પંચાવન લાખના ખર્ચે નવીન ભૂગર્ભ ગટર લાઈનનું સિફટીંગનું કામ હાથ ધયું હોવાથી આ કામ પૂર્ણ થયેથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી અંત આવવાનું જણાવ્યું હતું.