પાટણ શહેરમાં ભુગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો સહિત સોસાયટી વિસ્તારોમાં ઉભરાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ હાઇવે માર્ગો પર ઉભરાતી ગટર લાઈન પણ માથાના દુ:ખાવા સમાન બની રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા ભૂગર્ભના પ્રશ્ને કોઈ જ નક્કર પગલાં ભરવામાં ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ત્યારે પાટણ શહેરના કલાનગર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેરમાર્ગ પર રેલાઈ રહયા છે. જેને લઇને આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. અત્રે નોંધનીય છે કે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્નાા આજ સોસાયટીમાં રહે છે આ વોર્ડ હાલમાં નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલનો વોર્ડ હોવા છતાં આ સમસ્યા યથાવત રહેવા પામી છે.

અનેકવાર રજુઆતો કરવા છતાં ભૂગર્ભ ગટર લાઈનની સમસ્યા બાબતે કોઈ જ નિર્ણય ના આવતા વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં સોસાયટી વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફેલાઈ છે. આ વિસ્તારના મહિલા ઓએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. આમ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલના વોર્ડમાં જ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં તેઓ નિષ્કીર્ય જોવા મળી રહયા છે ત્યારે શહેરની તો શું પરિસ્થિતિ હશે તે તો વિચારવું જ રહયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024