પવિત્ર શ્રાવણ માસનું હિંદુ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ રહેલું છે. અને સમગ્ર માસ દરમ્યાન ભકતો ભોળાનાથને રીઝવવવા અનેક પ્રકારની પુજા અર્ચના કરતા હોય છે.
ત્યારે શ્રાવણ માસમાં આવતા ચાર સોમવારનું ખુબજ મહત્વ રહેલું છે. અને સોમવારના દિવસે અલગ અલગ શિવાલયોમાં ભકતો દવારા શિવજીને રીઝવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. અને આ વિવિધ કાર્યક્રમો થકી ભકતો ભોળાનાથને ભજીને ધન્યતા અનુભવતા હોય છે.
ત્યારે આજ રોજ શ્રાવણ માસના અંતિમ સોમવારના રોજ શહેરના વિવિધ શિવાલયોમાં ભોળાનાથને રીઝવવા ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે સરસ્વતી નદીના કિનારે આવેલા હરીહર મહાદેવ ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ નિમિત્તે હરીહર ભકતો દવારા મંદિર પરિસર ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં ભાવિકભકતોએ હરીહર મહાદેવ સહિત મહાપૂજાના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
તો શહેરના છત્રપતેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ શ્રાવણ માસના અંતિમ સોમવારે સમગ્ર શ્રાવણ માસની પૂજા કરવા આવતાં મહાદેવના ભકતો દવારા મંદિર પરિસર ખાતે શ્રાવણની પૂણાહૂતિ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં ભાવિકભકતોએ છત્રપતેશ્વર મહાદેવ સહિત યજ્ઞના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
