રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાની ગાઇડલાઈનનું (Navratri Guidelines 2021) પાલન થાય તે રીતે નવરાત્રિ પર્વની (Navratri 2021) કેટલીક છૂટછાટ સાથે નવરાત્રી પર્વ માટે છુટછાટ આપવામાં આવી છે.
ત્યારે હવે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહેલ નવલાં નોરતાને પગલે પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
Navratri Guidelines
જેમાં તેમણે જણાવ્યું છે.કે રાજ્ય સરકારના આદેશ અનુસાર શેરી ગરબામાં આયોજન કરવામાં આવતા નવરાત્રી પર્વમાં ૪૦૦ થી વધારે લોકો ભેગા ના થાય અને સરકારની ગાઈડલાઈનના પાલન સહિત સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે નવરાત્રિ પર્વનું આયોજન કરવા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી હતી.