હિન્દુ ધર્મમાં તહેવારો ઉત્સવો અને વ્રતો નું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે આસો મહિનાના વદ પક્ષની ચોથની સમગ્ર દેશમાં કડવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.
આથી વ્રતના ભાગરૂપે સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખીને પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.આ વ્રત સૂર્યોદય સાથે શરૂ થયું હતું અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી પૂર્ણ થયું હતું.સાંજે ચંદ્રના દર્શન કરીને અધ્ર્ય અર્પણ કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને મહિલાઓ આ વ્રત ખોલ્યું હતુ ઉલ્લેખનીય છે કે આ વ્રતમાં ચોથ માતા અને ગણેશજીની પણ પુજા કરવામાં આવતી હોય છે.
ત્યારે આવા પવિત્ર અવસરે પાટણ શહેરના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલની પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા રર વર્ષથી સમૂહમાં કડવાચોથની પૂજાનું આયોજન કરવામાં આવે છે.
જેથી સુભાષચોક વિસ્તારની ર૦૦ જેટલી મહિલાઓએ સમૂહમાં કડવાચોથની પૂજા કરી વ્રતની ઉજવણી કરી હતી.જેમાં વ્રતધારી મહિલાઓ સોળે શણગાર સજી પોતાના પતિદેવની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.