- હાલમાં અમેરિકામાં સ્થાયી નવરંગપુરાની મહિલાનાં આઈડીબીઆઈ બેંકના લોકરમાંથી 50 તોલા સોનું, 8 કિલો ચાંદી મળીને 30 લાખની ચોરી થઇ છે.ત્યારે મહત્વની વાત તો એ છે કે,આ લોકર તોડવામાં આવ્યું ન હતું. 2 વર્ષ અગાઉ મહિલા લોકરમાં દાગીના મૂકીને અમેરિકા ગઈ હતી. જ્યારે 5 દિવસ પહેલા લોકર ઓપરેટ કરવા પહોંચ્યા ત્યારે ખૂલ્યું જ નહીં. જેથી બેંકે મિસ્ત્રીને બોલાવીને લોકર તોડાવ્યું તો તેમાં સોનું – ચાંદી ન હતા. પરંતુ માતાજીનો એક ફોટો અને 101 રૂપિયા હતા.
- આ સમગ્ર ઘટના નવરંગપુરામાં આવેલા વર્ધમાન ફ્લેટમાં રહેતા પરિવાર ની છે. કુટુંબના સભ્યો અમદાવાદ રહેતા હોવાથી તેઓ અવારનવાર અમદાવાદ આવે છે. તૃપ્તિબહેને 2016માં નવરંગપુરામાં આવેલી આઈડીબીઆઈ બેંકમાં લોકર રાખ્યું હતું, જે લોકરનો નંબર 520 હતો.
- ત્યારબાદ તેઓ નવેમ્બર 2017માં અમદાવાદ આવ્યાં ત્યારે તે લોકરમાં 50 તોલા વજનના સોનાના દાગીના અને 8 કિલો ચાંદીના દાગીના, વાસણો મૂક્યા હતા.નિયમ મુજબ વર્ષમાં એક વાર લોકર ખોલવાનું હોવાથી બેંક કર્મીની હાજરીમાં તેમણે લોકર ખોલવાની કોશિષ કરી હતી પણ લોકર ન ખૂલતા અધિકારીઓએ મિસ્ત્રીને બોલાવી તેને તોડ્યું હતું. તે વખતે તૃપ્તિબહેન પણ હાજર હતા.
- જો કે લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ જણાઇ આવી ન હતી. નવાઇની વાત તો એ છે કે લોકર તુટ્યું ન હતું તેમ છતાં બેંક કર્મીઓની ભૂલને કારણે ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેઓ તાજેતરમાં અમેરિકાથી આવ્યાં બાદ તેઓ 12 ફેબ્રુઆરીએ લોકર ઓપરેટ કરવા બેંકમાં ગયાં હતાં, તેમાં દાગીના ન હતા. પરંતુ માતાજીનો ફોટો અને 101 રૂપિયા જ હતા. આ જોઇને તૃપ્તિબહેનનાં તો હોશ ઊડી ગયા હતા. તેમણે બેંક સત્તાવાળાને કહ્યું કે લોકરમાંથી દાગીના ચોરાયા છે. પરંતુ તેઓ વાત માનવા તૈયાર જ ન હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News