Ahemdabad

કોરોનાએ અમદાવાદ (Ahemdabad) માં ફરી પોતાનો કહેર વરસાવ્યો છે. આ સંજોગોમાં તબીબોની દિવાળીની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઇ રહ્યા છે. બીજી તરફ, અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરવા મામલે AMC એ પોલિસીમાં બદલાવ કર્યો છે.

AMC એ ટેસ્ટમાં બદલાવ મુજબ, 38 ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે. ઉપરાંત અન્ય લક્ષણો જણાશે તો જ આગળના ટેસ્ટ કરવામાં આવશે. કેટલાક લોકો ટેસ્ટીંગનો દુરુપયોગ કરતા હોવાનું એએમસી તંત્રના ધ્યાને આવ્યું છે.

આ પણ જુઓ : ‘રાહુલ સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો છે’ : બરાક ઓબામા

કેટલાક લોકો એક સ્થળે ટેસ્ટ કરાવી અન્ય સ્થળે પણ ટેસ્ટ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી તંત્રનો સમય અને મશીનરીનો બગાડ અટકાવવા આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરી રહ્યાં જણાતા કોરોના સંક્રમણ વધવાની ભીતિ દેખાઈ રહી છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024