AIIMS : ગૃહ મંત્રી અમિત શાહને મંગળવારે રાજધાની દિલ્હી સ્થિત AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના નિદેશક રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ ગૃહ મંત્રીના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહી છે. નોંધનીય છે કે, અમિત શાહ થોડા દિવસ પહેલા કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં જ તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રી આ પહેલા હોમ આઇસોલેશનમાં હતા અને પછી તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા.

AIIMS મીડિયા અને પ્રોટોકોલ ડિવિઝનના ચેરપર્સન ડૉક્ટર પ્રોફેસર આરતી વિજે એક પ્રેસ નોટમાં જણાવ્યું કે, ગત 3-4 દિવસથી અમિત શાહને દર્દ અને થાકની ફરિયાદ હતી. તેઓ કોવિડ-19ની તપાસમાં નેગેટિવ હોવાનું સામે આવ્યું હતું. તેમને AIIMSના પોસ્ટ કોવિડ કેરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ઠીક છે અને હૉસ્પિટલમાં પોતાનું કામ કરી રહ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024