અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!

પોસ્ટ કેવી લાગી?

Baba Bageshwar Darbar in Ahmedabad : બાબા બાગેશ્વરના અમદાવાદ પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Direndra Shashtri) આજનો અમદાવાદનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે બાબાના દિવ્ય દરબાર આજે નહીં ભરાઈ શકે. અગાઉ ચાણક્યપુરી શક્તિ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર ભરાવાનો હતો. પરંતુ લોકોની ભીડ વધારે થવાના કારણે સ્થળ બદલાયું હતું અને ઓગણજ એસપી રીંગ રોડ ખાતે દરબાર ભરાવાનો હતો. પરંતુ વરસાદના કારણે બંને જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાના કારણે બાબાનો દિવ્ય દરબાર આજે નહીં ભરાય.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હાલ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પોતાનો દિવ્ય દરબાર લગાવી રહ્યા છે અને અમદાવાદમાં 29 અને 30 તારીખ દરમિયાન તેમનો દિવ્ય દરબાર લાગવાનો છે. અમદાવાદના ઓગણજ વિસ્તારના ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓગણજના ગ્રાઉન્ડમાં વરસાદીના પાણી ભરાયા છે તો જ્યાં પંડાલ લાગવાનો છે ત્યાં પણ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ગ્રાઉન્ડની તસવીરોને જોતા બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર થશે કે કેમ તેના પર અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures