Guided by experts in Vedic mathematics

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા અવાર નવાર સમાજલક્ષી પ્રવૃત્તિઓ સાથે સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો આયોજિત કરાતા હોય છે.શનિવારના રોજ સુભાષ ચોક નજીક પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તજજ્ઞ તરીકે વૈદિક ગણિત નું આગવું જ્ઞાન ધરાવતા ધનરાજભાઇ ઠક્કર, રૂપેશભાઈ ભાટીયા અને ડો રાજગોપાલ મહારાજા દ્વારા પ્રજાપતિ સમાજના 150 થી વધુ વિદ્યાર્થીઓને વૈદિક ગણિત નું સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા આયોજિત વૈદિક ગણિત સેમીનારના કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નિલેશભાઈ ઓતીયા, મંત્રી અનિલ પ્રજાપતિ, પ્રોજેક્ટ ચેરમેન હિરેન પ્રજાપતિ, કો પ્રોજેક્ટ ચેરમેન જયેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024