ભારતભરમાં અને વિશ્વ માં કોરોના ની મહામારી ચાલી રહી છે પ્રથમ અને બીજી લહેર માં લોકો બહું જ પ્રમાણમાં સંક્રમિત થયા અને મૃત્યુ પણ પામ્યા હતા.
ત્યારે સંભવિત ત્રીજી લહેર ની ચર્ચા ચાલી રહી છે ત્યારે નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસ દ્વારા કુપોષિત બાળકોને સુખડી. સીંગ ચણા. મગદાળ અને બિસ્કીટ ની કિટો આપવાનું નક્કી થયેલ જેના કારણે બાળકો માં કુપોષણ નું પ્રમાણ ઘટાડી શકાય અને આવનાર કોરોના મહામારી સામે બાળકો નું રક્ષણ થઇ સકે તે હેતુ થી ગુજરાત માં ત્રણ મહીના સુધી પ૦૦૦ હજાર બાળકો ને કીટ આપવાનું અભિયાન ચાલુ કરેલ છે
જેમાં બનાસકાંઠા જિલ્લા નાં કાકરેજ, ડીસા, દિયોદર, સૂઇગામ, અને ભાભર ની કુલ પ૧ આંગણવાડી ઓ નાં ૪ર૯ બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું•હતું.