- આપણે સહુ કોઈ ઉનાળામાં છાશ પીએ છીએ જે અમૃત સમાન માનવામાં આવે છે.
- આપણે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે.
- પરંતુ ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાંને છાશ પસંદ નથી હોતી.
- તમને જણાવાનું કે છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે.
- ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે.
- છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે તથા રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
- મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ એ સાચું નથી.
- સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે અને તેનાથી કફ થાય છે
- તેમજ અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે.
- સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.
- બપોરે હમેશાં છાશપીવી જોઈએ.
- છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે.
- છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે સ્વાદમાં ખુબ સારી લાગે છે.
- છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે.
- તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.
- આંતરડાંના કોઈ પણ દર્દમાં છાશનો ઉપયોગ કરવામાં આવે છે.
- કબજિયાત દૂર કરે છે, છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે.
- છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે.
- ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે.
- વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ અને સિંધવ મીઠું લેવું ફાયદાકારક રહેશે.
- પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે
- છાશ પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.
- છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે.
- તથા છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News