નારિયેળ પાણી તરસ છીપાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને એની સાથે એની સારી વાત એ છે કે તે કુદરતી અને પૌષ્ટિકતાથી ભરપૂર છે. નારિયેળ મૂત્રાશય શોધક, પુષ્ટિકારક, રક્તશોધક હોય છે. નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ, ઇલેક્ટ્રૉલાઇટ્સ, એંઝાઇમ્સ, એમિનો એસિડ અને સાયટોકાઇન પ્રચૂર પ્રમાણમાં હોય છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે, નારિયેળ પાણી મહિલાઓનાં આરોગ્ય માટે ખૂબ જ સારૂ ગણવામાં આવ્યું છે. જો પેશાબમાં બળતરા થતી હોય, ડિહાઇડ્રેશન થઈ ગયું હોય કે પછી મેદસ્વિતા ઘટાડવી હોય તો નારિયેળ પાણી ઉત્તમ ઉપાય છે.

ચામડી સંબંધિત રોગોમાં નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને કપૂર સાથે લેપ કરવાથી લાભ થશે. નારિયેળ પાણી શૂગર લેવલને ઓછું કરતું હોવાથી ડાયાબિટીસમાં પણ ખૂબ ગુણકારી છે. નારિયેળ કિડની અને પથરીમાં અસરકારક હોવાથી તમામ રોગોમાં ફાયદાકારક છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024