Corona
ગુજરાતમાં કોરોના (Corona) ના પોઝિટિવ કેસનો આંકડો 104341 પર પહોંચી ગયો છે. તેમજ અમદાવાદમાં પણ કોરોના હજુ થંભ્યો નથી. જો કે, શહેરમાં 32,526 કોરોનાના કેસો અત્યાર સુધી સામે આવી રહ્યા છે.
અમદાવાદના 4 લોકો કે જેમને પહેલા કોરોના (Corona) થયો હતો અને તેઓ કોરોના સામે લડીને સાજા થઈ ગયા હતા. તેમને ફરી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, કોરોનાથી ફરી સંક્રમિત થયેલા લોકોમાં 3 રેસીડન્સ ડૉક્ટર છે. આ કોરોના દર્દીઓ અત્યારે GCRI હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તથા તેમના બ્લડ સેમ્પબલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત શાકભાજીવાળા સુપર સ્પ્રેડેર કહેવાય છે. ત્યારે તેઓ પણ માસ્ક વગર ફરતા જોવા મળ્યા છે. માસ્ક ન પહેરવાના અનેક બહાના આપવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જ્યા એએમસી આમ જનતાને એક હજાર રૂપિયાનો દંડ ફટકારે છે.
પહેલા કહેવામાં આવી રહ્યું હતુ કે, કોરોના (Corona) સામે એન્ટીબૉડી બન્યા બાદ ફરીવાર કોરોના થતો નથી, પરંતુ અમદાવાદમાં 4 લોકોને ફરી કોરોના થતા લાગી રહ્યું છે કે કોરોના પણ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કાયદાનુ પાલન કરવુ જરૂરી છે. પરંતુ અનલોકની પ્રક્રિયા શરૂ થતાં જ લોકો બેદરકાર બન્યા છે. .
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.