Corona case in Surat
- વૈશ્વિક મહામારી કોરોનાની અસર સમગ્ર રાજ્યમાં છે.
- પરંતુ સુરતમાં તો જાણે કોરોનાનો રાડો ફાટ્યો હોય તેમ લાગે છે.
- સુરત શહેર કોરોના પોઝિટિવ કેસનો (Corona case in Surat) આંક 15,131 પર પહોંચી ગયો છે.
- તો આ સાથે જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 658 થયો છે.
- જો કે, ગત રોજ શહેર અને જિલ્લાના મળી કુલ 430 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
- તો અત્યાર સુધીમાં શહેર જિલ્લાના કુલ 11,101 દર્દીઓને રજા આપવામાં આવી છે.
- સુરત શહેરમાં આજ દિવસ સુધીમાં 12,162 પોઝિટિવ કેસમાં (Corona case in Surat) 529ના મોત થયા છે.
- તો જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 2969 પૈકી 129 વ્યકિતના મોત થયા છે.
- તથા સુરત શહેર-જિલ્લામાં કુલ 15,131 કેસમાં 658ના મોત થયા છે.
- જો કે, સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 8785 દર્દીઓને રજા આપવામાં આવી છે.
- જ્યારે ગ્રામ્યમાં કુલ 2316 દર્દીઓને રજા અપાઇ ચૂકી છે.
- ઉપરાંત સુરતમાં કુલ 11,101 દર્દી સાજા થયા છે.
- સુરત શહેર જિલ્લામાં (Corona case in Surat) અત્યાર સુધીમાં કોરોનામાં 658 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે.
- તો નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 271 કોરોનાના દર્દી માંથી 207 ગંભીર છે.
- તેમજ 15 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 166 દર્દીઓ ઓક્સિજન પર છે.
- જ્યારે સ્મીમેરમાં સારવાર લેતા 140 પૈકી 99 દર્દીઓની હાલત ગંભીર છે.
- આ ઉપરાંત 6 વેન્ટિલેટર, 31 બાઈપેપ અને 62 ઓક્સિજન પર છે.