Corona vaccine
કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી બાલાસોરમાં એક ચૂંટણી સભા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી (Corona vaccine) વિના મૂલ્યે આપશે.
બિહારના લોકોને ભાજપ દ્વારા કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ વિપક્ષી દળોએ સત્તાધારી એનડીએ પર મહામારીનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કારણ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલુ છે.
ઓડિશા સરકારમાં મંત્રી આરપી સ્વેને કોવિડ-19ની રસી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અંગે જવાબ માંગ્યો હતો. ત્યારબાદ સારંગીએ આ દાવો કર્યો છે.
આ પણ જુઓ : દરેક જિલ્લામાં અભિપ્રાયો લીધા બાદ સ્કૂલો શરૂ કરવા SOP નક્કી થશે
બાલાસોરમાં ત્રણ નવેમ્બરે થઈ રહેલી પેટાચૂંટણી માટે એક જનસભાને સંબોધ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રતાપ સાંરગીએ પત્રકારોને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમામ લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે આપવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિના રસીકરણ પર લગભગ 500 રૂપિયા ખર્ચ થશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.