Delhi prophet predicts
પાટનગર નવી દિલ્હીની એક ભવિષ્યવેત્તા (Delhi prophet predicts) મનીજા આહુજાએ આગાહી કરી હતી કે 2021ના ફેબ્રુઆરી-માર્ચની આસપાસ ચીન અથવા પાકિસ્તાન સાથે યુદ્ધ થઇ શકે છે તેમણે કહ્યું હતું કે નવેંબરથી ચીન સાથેના સંબંધો વધુ ખરાબ થવા લાગશે અને એની પ્રતિકૂળ અસર 2021ના ફેબ્રુઆરી માર્ચમાં દેખાશે. 2021ના ફેબ્રુઆરીની 12મી થી 27મી આ બાબતમાં ખૂબ સંવેદનશીલ જણાતી હતી.
ચીન અને પાકિસ્તાન બંને સાથે યુદ્ધ થવાની શક્યતા હતી. આ યુદ્ધમાં ભારતને ખૂબ નુકસાન થશે પરંતુ ભારતનો વિજય થશે. આ યુદ્ધમાં અમેરિકા ભારતને સાથ આપશે. ચીન અને પાકિસ્તાન બંનેનો પરાજય નક્કી છે.
આ પણ જુઓ : 28 ઓક્ટોબરથી પશ્ચિમ રેલ્વે મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે
મનીજાએ વધુમાં કહ્યું હતું કે સૌથી વધુ ખરાબ સમય ચીન માટે છે. ચીને આગામી દસ વર્ષ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવાની ફરજ પડશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું 2022માં ભારત પાકિસ્તાન પાસેથી તેના કબજા હેઠળનું કશ્મીર પાછું મેળવી લેશે. તેણે એવી પણ આગાહી કરી હતી કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય નિશ્ચિત છે. ટ્રમ્પ કાયમ ભારતની સાથે દોસ્તી નીભાવશે.
આ પણ જુઓ : દરેક જિલ્લામાં અભિપ્રાયો લીધા બાદ સ્કૂલો શરૂ કરવા SOP નક્કી થશે
અગાઉ મનીજાની કોરોના વાઇરસ વિશેની આગાહી સાચી પડી હતી. તેણે કહ્યું હતું કે 2020થી ખંડ પ્રલયયુગ શરૂ થયો હતો. આગામી દસ વર્ષ આખી દુનિયા માટે નકારાત્મક પરિણામો લાવનારાં નીવડશે. ખાસ કરીને 2026 સુધી કુદરતી આપત્તિઓ, યુદ્ધો અને સરહદી વિવાદો કેન્દ્રમાં રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.