દાહોદ: હોળી-ધુળેટી પર્વની ઉજવણીના આનંદમાં રાહદારીઓ કે વાહનચાલકો પર રંગ-પાણી ભરેલા ફૂગ્ગા નાખનાર સામે કરાશે કાર્યવાહી
દાહોદ જિલ્લામાં આગામી હોળી અને ઘુળેટી પર્વ તેમજ આ નિમિત્તે વિવિધ મેળાઓ પણ યોજાશે ત્યારે પર્વની ઉજવણીના ઉમંગમાં વિવેક ભૂલીને વાહનચાલકો પર પાણી ભરેલા ફૂગ્ગા કે પ્લાસ્ટીકની થેલીઓ નાખનાર સામે કાર્યવાહી કરાશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે એક જાહેરનામા દ્વારા આ સંદર્ભે આદેશો કર્યા છે.
તદ્દઅનુસાર, હોળી તથા ધુળેટીના પર્વ અને મેળાઓ દરમ્યાન કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓએ મંડળી બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો અને માર્ગો ઉપર આવતા જતા રાહદારીઓ, વાહનચાલકો, મકાન કે મિલ્કતો તેમજ વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો કે માલસામાન ઉપર કાદવ, કીચડ, રંગ અથવા રંગમિશ્રિત કરેલું પાણી, તેલ તથા તેવી કોઇ વસ્તુ ભરેલ ફુગ્ગા, પ્લાસ્ટીકની થેલી કે વસ્તુ નાખવી નહી.
તેમજ પર્વ દરમિયાન કે જાહેર માર્ગો ઉપર આડસ –પથ્થર મૂકીને કે અન્ય રીતે આડસ કરીને વાહનો રોકવા નહી તેમજ પૈસા ઉઘરાવવા નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
- થરામાં દાખલ થયેલા હનીટ્રેપના પાંચેય આરોપીઓ ઝડપાયા – આ રીતે ફસાવતા હતા લોકોને.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!