LLB

  • વૈશ્વિક મહામારી કોરોનાની અસર વિધાર્થીઓના ભણતર પર પણ પડી છે.
  • યુનિવર્સિટીઓની વિવિધ કોર્સના અંતિમ વર્ષ સેમેસ્ટર અને અન્ય ઇન્ટરમીડિયેટ સેમેસ્ટરની પરીક્ષા હાલ મોકૂફ રાખવાની માગ કરવામાં આવી છે.
  • આ માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૌખિક સૂચના આપતા જણાવ્યું કે, તમામ યુનિવર્સિટી દરેક કોર્સની અલગ-અલગ પરીક્ષાનું આયોજન કરવાના બદલે એકસાથે એક સમયે પરીક્ષા લેવા અંગે વિચારે.
  • તેમજ આ પરીક્ષા બને તો એક જ ફેર્મેટમાં લેવી.
  • કોઈ ઓનલાઈન પરીક્ષા અને કોઇ ફિઝિકલ પરીક્ષા લે તેવું ન કરવુ.
  • જો કે, આ કેસની વધુ સુનાવણી ૬ જુલાઈએ હાથ ધરાશે.
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત એલએલબી (LLB) ના પાંચ વર્ષના કોર્સના છેલ્લા અને દસમા સેમેસ્ટરની પરીક્ષા 2 જુલાઈ અને ૧૭ જુલાઈ એમ બે તબક્કામાં લેવાની હતી.
  • પરંતુ આ બન્ને પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવે તેવી માગ સાથે હાઈકોર્ટમાં LLB ના પાંચ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
  • જેની સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે.
  • આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
  • હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો હતો.
  • રાજ્ય સરકારની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે અનેક યુનિવર્સિટીઓએ વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલી છે.
  • જેથી વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ ઠરાવ કર્યો છે.
  • રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને રાજ્યની અનેક યુનિવર્સિટીઓએ (ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી) જુલાઈ સુધી પરીક્ષા મોકૂફ રાખી છે
  • તો કેટલીક યુનિવર્સિટીઓ ઓનલાઇન પરીક્ષા લેવા અંગે વિચારણા કરે છે.
  • કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ બહાર પાડેલી માર્ગર્દિશકા અને યુજીસીએ બહાર પાડેલા પરિપત્રનો અમલ થઈ રહ્યો છે.
  • રાજ્ય સરકારે જે ઠરાવ બહાર પાડયો છે, તેનો ઊંધો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.
  • આ ઠરાવ મુજબ ઇન્ટરમીડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ મૂલ્યાંકનના ૫૦ ટકા અને અગાઉના સેમિસ્ટરના ૫૦ ટકાના આધારે મેરિટ આધારિત પ્રોગ્રેશન અપાશે.
  • તેના કારણે બે તૃતીયાંશ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે નહીં.
  • તથા જે વિદ્યાર્થીઓ ગ્રેડથી પાસ થતા નથી, તેમની ઓક્ટોબર-નવેમ્બરમાં પરીક્ષા લેવાશે.
  • અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અંતિમ વર્ષ પ્રથમ વર્ષની પરીક્ષા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોના અંગેની માર્ગર્દિશકા કડકાઇથી પાલન કરાશે.
  • તેમજ આ ઉપરાંત યુનિવર્સિટીઓને સ્થાનિક સ્તરે સ્થિતિ શું છે ? તે મુજબ નિર્ણય લેવાની છૂટ અપાયેલી છે.
  • જોકે ૧૦ જૂનના રોજ રાજ્યના શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફ્રન્સથી રાજ્યના તમામ યુનિવર્સિટીના ઉપકુલપતિ સાથે બેઠક થઇ હતી.
  • જેમાં કોરોના સંદર્ભની માર્ગર્દિશકાનું કડકાઇથી પાલન કરવા અંગે નિર્દેશ અપાયેલા છે.
  • જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી શકે તેમ ન હોય તેમને વધુ એક તક મળશે.
  • ઉપરાંત રાજ્ય સરકારે એ પણજણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવે છે અથવા તેઓ કોરોના પોઝિટિવ છે, તો તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન આપવાની સૂચના આપવામાં આવેલી છે.
  • તો આ વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024