Demolition
પાકિસ્તાન કરાચીમાં લ્યારી વિસ્તારમાં કટ્ટરપંથીઓની ભીડે એક બાળક પર પયગંબરની નિંદાનો આરોપ લગાવ્યો અને એક પ્રાચીન મંદિરમાં ખુબ તોડફોડ (Demolition) કરી હતી. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિઓને તોડી નાખી હતી. આ મંદિર કરાચીના ભીમપુરા વિસ્તારની લી માર્કેટમાં આવેલું છે.
આ ઘટનામાં કટ્ટરપંથીઓએ કોઈ પૂરાવા વગર હિન્દુ બાળક પર નિંદાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનીક હિન્દુ સમુદાયે આરોપ લગાવ્યો કે તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મંદિરની અંદર લાગેલી ભગવાનની તસવીરોને પણ ફાડી દેવામાં આવી હતી. છેલ્લા 20 દિવસમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ ત્રીજી ઘટના છે.
આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
આ પહેલા દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી દીધી હતી. આ હુમલાખોરોએ મંદિરમાં મોટું નુકસાન પહોંચાડ્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું કે, અડધી રાત્રે અજાણ્યા લોકો મંદિર પરિસરમાં ઘુસી દરવાજાને બંધ કરી મૂર્તિને તોડી દીધી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.