વિમલ સોંદરવા, ધોરાજી : ધોરાજી ખીજડા શેરી ધોડીયા હનુમાન મંદિર પાસે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ લઘુમતી સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/Screenshot-1477-2.png?w=640&ssl=1)
મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્તોને જુદીજુદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતી. આ મારામારી માં બે જૂથના લોકો લોહી લુહાણ હાલતમાં જોવા માંડ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર ધોરાજીમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/Screenshot-1479-2.png?w=640&ssl=1)
ધોરાજી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો દીધો હતો. અને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ બે વ્યક્તિને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવ્યા હતા.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/Screenshot-1478.png?resize=622%2C341&ssl=1)