Ecom Express
ઇકૉમ એક્સપ્રેસ (Ecom Express) તહેવારોના સમયમાં 30,000 લોકોને રોજગાર આપવાની યોજના બનાવી રહી છે. કંપની ઇ-વેપાર કરતી કંપનીઓથી તહેવારના સમયે વધેલી માંગને પૂરી કરવા માટે નવા લોકોને નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે.
કંપનીમાં કર્મચારીઓની સંખ્યા કોવિડ 19 પહેલા લગભગ 23,000 હતી. તો કંપનીએ લોકડાઉન પછી વધતા ઓનલાઇન ઓર્ડરને પૂરા કરવા માટે ગત થોડા મહિનાથી 7,500 કર્મચારીઓને નોકરી આપી છે. કોવિડ 19ના આ સમયમાં લોકો કરીયાણાં, દવા અને અન્ય વસ્તુઓ માટે ઇ કોર્મર્સ તરફ વળી રહ્યા છે.
ઇકોમ એક્સપ્રેસ (Ecom Express) ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય માનવ સંસાધન અધિકારી સૌરભ દીપ સિંગલાએ પીટીઆઇ-ભાષા જણાવ્યું કે કોરોનાની મહામારીએ ઇ-કૉમર્સ ઉદ્યોગને એક બીજા જ લેવલ પર પહોંચાડી દીધી છે. તથા તહેવારના સમયે અમે ઇ વાણિજ્ય ગ્રાહકોની માંગ પૂરી કરવા અને આક્રમક યોજના બનાવી રહ્યા છે. અને આ માટે અમે ભરતી શરૂ કરી દીધી છે.
ભરતીની પ્રક્રિયા 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. તેઓ તહેવાર દરમિયાન 30,000 અસ્થાઇ રોજગારને પૂર્ણ કરવાની આશા રાખી રહ્યા છે. કંપનીના કાર્યબળની સંખ્યા ઓગસ્ટમાં 30,500 હતી. સૌરભ દીપ સિંગલાએ કહ્યું કે ગત વર્ષે અમે તહેવારો પહેલા 20,000 લોકોને નોકરી પર રાખ્યા હતા. જો કે આ નોકરી કાયમી નથી પણ તેમ છતાં આમાંથી એક તૃતાંશ લોકોને અમે પછી પણ નોકરી પર હતા કારણ કે તહેવારો પછી પર ઓર્ડરમાં વુદ્ધિ આવી હતી.
ઇ કોર્મર્સ કંપનીઓનું માનવું છે કે આ વેપારનો સૌથી મોટો ભાગ તહેવાર છે. ઓર્ડરને સારું બનાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો વાલમાર્ટથી સ્વામિત્વ વાળી ફિલ્પકાર્ટની આર્પૂર્તિ વ્યવસ્થાને સારી કરવા અને ડિલિવરી ક્ષમતાને વધારવા માટે હાલ જ તેને 50,000થી વધુ કરીયાણાંની દુકાનોથી જોડવામાં આવ્યા છે.
તો એમેઝોન ઇન્ડિયાએ પાંચ કેન્દ્ર વિશાખાપટ્ટનમ, ફરુખનગર, મુંબઇ,બેંગલુર અને અમદાવાદ સાથે જોડવાની જાહેરાત કરી છે. આ સાથે જ અત્યારના આઠ કેન્દ્રોના વિસ્તારની પણ જાહેરાત કરી છે. તેમજ સૌરભ દીપ સિંગલાએ કહ્યું કે ઇકોમ એક્સપ્રેસ જે નિયુક્તિ કરશે તે મોટો શહેરોની સાથે નાના શહેરોમાં પણ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.