France

France

થોડા દિવસ પહેલાં એક ઇતિહાસ શિક્ષકની હત્યા થઇ ત્યારે ફ્રાન્સ (France)ના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ એને ઇસ્લામી આતંકવાદની ઘટના ગણાવી હતી. ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. જેમાં અમેરિકા, યૂરોપના દેશો અને ભારતે પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ગુરૂવારે ફ્રાન્સના એક ચર્ચમાં ત્રણ વ્યક્તિન હત્યા થઇ હતી. 

મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન અને કટ્ટરવાદી મુસ્લિમ નેતા મહાતીર મુહમ્મદે અમુક ટ્વીટ કરીને એવો દાવો કર્યો હતો કે મુસ્લિમોને ફ્રાન્સના લોકોને મારવાનો અધિકાર છે. ફ્રાન્સે પોતાના ઇતિહાસમાં લાખો લોકોની હત્યા કરી હતી જેમાં અનેક મુસ્લિમો પણ હતા. મુસ્લિમોને આનો બદલો લેવા ફ્રાન્સની પ્રજાને મારવાનો અધિકાર હતો. આ ટ્વીટથી સમગ્ર યૂરોપમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી. જો કે ટ્વીટરે મહાતીરની આ ટ્વીટને ડિલિટ કરી નાખી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની ટ્વીટ અમારા નીતિ નિયમોની વિરુદ્ધ હતી.

આ પણ જુઓ : પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

જો કે ત્યાર પછી પણ મહાતીરે એવી ટ્વીટ કરી હતી કે હજુ સુધી મુસ્લિમોએ આંખનો બદલો આંખની નીતિ અખત્યાર કરી નથી. આ નીતિ અખત્યાર કરશે તો શું થશે એની કલ્પના ફ્રાન્સને નથી. ઉપરાંત તૂર્કીના પ્રમુખ રજબ તૈયબે કહ્યું હતું કે હું દુનિયાભરના મુસ્લિમોને હાકલ કરું છું કે ફ્રાન્સની ચીજો ખરીદશો નહીં. ફ્રાન્સે તૂર્કીની ચીજો ખરીદવી નહીં એવી હાકલ કરી છે તેમ હું તમને સૌને હાકલ કરું છું કે ફ્રાન્સની ચીજોનો બોયકોટ કરજો. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024