વૈશ્વિક કોરોના મહામારીને લઈ છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષાણિક કાર્ય બંધ જોવા મળી રહયું છે ત્યારે ચાલુસાલે કોરોના મહામારીને લઈ ધો.૧ થી ૧૧ના વિધાર્થીઓનું શૈક્ષાણિક કાર્ય બંધ રહેતા માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.
વિધાર્થીઓએ ગતવર્ષ પોતાના જે તે વર્ગનો અભ્યાસ કર્યા વગર માસ પ્રમોશન આપતાં વિધાર્થીઓ-વાલીઓ અને શિક્ષકો પણ મુંઝવણમાં મૂકાયા છે. આજથી સમગ્ર રાજયમાં શાળા કોલેજોનું ઓનલાઈન શિક્ષાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શાળાના શિક્ષાકોની બ્રિજ કોર્સ તાલીમનનું સરકાર દવારા આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષકોએ ગોપાળ ભુવન સ્કૂલ ખાતે પોતાના મોબાઈલમાં બ્રિજ કોર્સની તાલીમ મેળવી હતી. અને આ તાલીમ ત્રણ દિવસ સુધી શિક્ષકો મેળવી માસ પ્રમોશન આપવામાં આવેલા વિધાર્થીઓને આ તાલીમથી અવગત કરી માસ પ્રમોશન મળેલા વર્ગોનું શૈક્ષણિક કાર્ય શારીરિક ક્ષામતાઓનો સારી રીતે વિકાસ શૈક્ષણિક વર્ગની જેમ થયો ન હોઈ તેઓને એક મહિના સુધી ગતવર્ષ ના અભ્યાસક્રમની સમજણ આપ્યા બાદ નવા વર્ષમાં આવેલા વિધાર્થીઓને અભ્યાસ કરાવવા માટે મહત્વનો આ બ્રિજ કોર્સ તાલીમ મદદરુપ નિવડી શકે તેમ હોવાનું અમી પટેલે જણાવ્યું હતું.