આજ રોજ ચાણસ્મા ખાતે ફુટવેર ઉપર લગાવેલો 12% જી.એસ.ટી નો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ચાણસ્માના ફુટવેરના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને ત્યાર બાદ રેલી સ્વરૂપે જઈને ચાણસ્મા મામલતદાર ને ફુટવેર ઉપરથી 12% જી.એસ.ટી દુર કરીને જૂનો 5% જીએસટી ચાલુ રાખવામાં આવે એવી માગણી કરતું મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે કોરોના કાળની અંદર વેપારીઓના ધંધા રોજગાર ખોવાઈ ગયા છે અને એના ઉપર સરકાર ની જો હુકમી જેવો જીએસટી માં વધારો કરીને ધંધા-રોજગાર પડી ભાંગવાના આરે લાવી દેવા હોય એવું લાગી રહ્યું છે. બુટ ચપ્પલ જેવી વસ્તુ કાયમી ઉપયોગથી હોવાના કારણે 12% જી.એસ.ટી દૂર કરવો જરૂરી છે એવી વેપારીઓની માગણી છે અને જૂનો 5% જીએસટી ચાલુ રાખવા માગણી કરી હતી.