જાણો ગુજરાતમાં શું ખુલ્લું રહેશે શું બંધ
સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. ફક્ત સ્પોર્ટ્સપર્સને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે. સાથેજ બિઝનેસ એક્ઝિબિશનને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે.
મનોરંજન પાર્ક સાથે એનાં જેવાં બીજા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે. લાઇબ્રેરી 60 ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે.
ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે. રાજ્યની હોટલ્સ અને રેસ્ટોરાં રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને ટેક અવે માટે કોઈ લિમિટ આપવામાં આવી નથી. શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત્ રહેશે.
બસસેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે. મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત્ રહેશે. રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે. કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. જો 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે. ટૂ-વ્હીલરમાં 2 લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે.
શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.
આ સાથેજ કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. ત્યાર બાદની નવી ગાઇડલાઇન્સ 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે.
કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને લેવામાં આવશે. રાજ્યમાં શાળા, કોચિંગ સંસ્થાઓ 15મી ઓક્ટોબર બાદ પુનઃશરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News