Amit Shah
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. અમિત શાહનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. જેની જાણકારી ખુદ અમિત શાહે ટ્વિટ કરીને આપી છે.
અમિત શાહે (Amit Shah) ટ્વીટ કરીને જણાવ્યું કે, “આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું. અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભાકામનાઓ આપી મારા અને મારા પરિવારની હિંમત વધારી તે તમામનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.”
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।— Amit Shah (@AmitShah) August 14, 2020
Amit Shah એ વધુમાં જણાવ્યું કે, ડોક્ટર્સની સલાહ અનુસાર હાલ કેટલાક દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેશે. અન્ય એક ટ્વીટ કરીને અમિત શાહે કહ્યું કે, કોરોના સંક્રમણ વિરુદ્ધ લડવામાં મારી મદદ કરનાર અને મારી સારવાર કરનાર મેદાંતા હોસ્પિટલના તમામ ડૉક્ટર્સ તથા પેરામેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શાહ અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.