House collapses in Junagadh

Junagadh News : જૂનાગઢમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. શહેરના દાતાર રોડ પર કડિયાવાડ નજીક આ ઘટના બની છે. ઘટનામાં ત્રણથી ચાર લોકો દટાયા હોવાની આશંકા છે. ત્રણમાળની ઈમારત પડવાને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ કાટમાળમાંથી દબાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ છે. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા છે. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

મકાન ધરાશાયી થતાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024