IPL 2020
આઈપીએલ (IPL 2020)માંથી ધીમે ધીમે ક્રિક્ટરો બહાર થી રહ્યા છે. ત્યારબાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝાટકો વાગ્યો છે. પહેલા સુરેશ રૈના અને હવે સ્ટાર ઓફ સ્પિનર હરભજને પણ આઈપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. હરભજન આ સિઝનમાં નહીં રમે તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. જે હવે સાચું થાઉં ગયું છે.
આ પણ જુઓ : Samsung એ લોન્ચ કર્યું 5G પાવર ફ્લેક્સીબલ લેપટોપ, જાણો ફીચર્સ
મનાઈ રહ્યું છે કે હરભજને કોરોના વાયરસના ડરથી આઈપીએલમાં નહીં રમવાનુ નક્કી કર્યુ છે. 19 સપ્ટેમ્બરથી આઈપીએલનો પ્રારંભ થવાનો છે. કોરોના વાયરસના કારણે આ વખતે આઈપીએલ યુએઈમાં રમાવાની છે.
આ પણ જુઓ : Pakistan : પાકિસ્તાને હવે પોતાનો દરિયો પણ ચીનને હવાલે કરી દીધો
હરભજન આમ તો યુએઈ ગયેલી ટીમમાં જોડાયો નહોતો અને ત્યારથી જ તેના રમવા અંગે અટકળો શરુ થઈ ગઈ હતી.ત્યરબાદ હવે ભજ્જીએ આજે ટીમને સત્તાવાર રીતે આ સિઝનમાં નહીં રમવા અંગે જાણ કરી દીધી છે. ભજ્જી આઈપીએલમાંથી હટી જનાર બીજો પ્લેયર બન્યો છે. તેણે વ્યક્તિગત કારણસર નહીં રમવાનો નિર્ણય કર્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.