Jammu and Kashmir

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir) ના પુંછ અને રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનની સેના દ્વારા નિયંત્રણ રેખા પર ફરીથી સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો. આ ઉલ્લંઘનમાં ત્રણ ભારતીય જવાન શહીદ થઈ ગયા છે. શુક્રવારે સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. પાકિસ્તાન સરહદ પર વારંવાર યુદ્ધ વિરામનો ભંગ અને આતંકીઓને કાશ્મીર મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યુ, ‘નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલમેન સુખબીર સિંહ શુક્રવારે પાકિસ્તાનના સૈનિકો દ્વારા રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કરવામાં આવેલી ગોળીબારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંન્ને ઈજાગ્રસ્ત સૈનિકોએ બાદમાં જીવ ગુમાવ્યો છે.’

આ પણ જુઓ : વડોદરાના 120 હોટસ્પોટ નક્કી કરાયા,માસ્ક વગર ફરનારાઓને થશે દંડ

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ, જેસીઓ સ્વતંત્ર સિંહ, નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલમેન સુખબીર સિંહ બહાદુર ઈમાનદાર સૈનિક હતા. સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે રાષ્ટ્ર હંમેશા તેનું ઋણિ રહેશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024