kamosmi varsad thi pak nu rakshan

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.15.03.2023 થી તા.19.03.2023 દરમિયાન રાજ્યના મધ્યગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં પવન સાથે કમોસમી માવઠું/છુટાછવાયા/સામાન્ય વરસાદ થશે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે ખેડૂતોએ પાકને નુકસાનીથી બચાવવા માટે કેટલાંક ઉચિત પગલાં લેવા જરૂરી છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) વ નાયબ ખેતી નિયામક(તાલીમ), પાટણ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર ખેડૂતોએ નીચે મુજબના ઉચિત પગલાં લેવા જરૂરી છે.

પાકનું રક્ષણ કરવા આ પગલાં લેવા

• ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. પ્લાસ્ટીક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
• જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
• ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
• એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા.
• એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબરઃ 1800 180 1551 નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024